Showing posts with label gujarat to mumbai. Show all posts
Showing posts with label gujarat to mumbai. Show all posts
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
‘ગુજરાત ટુ મુંબઈ’ ની ચુલબુલી શિખા - શચી જોશી


    હાલ આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહેલી નિર્માત્રી કાલિન્દી દવેની ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ ને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મની કથા યંગસ્ટર્સને ધ્યાને લઈને લખવામાં આવી છે. આજની પેઢીને ગમે તેવી કથા, પસંદ પડે તેવા ગીતો અને એકદમ ફ્રેશ ચેહરાઓ આ ફિલ્મનો પ્લસપોઈન્ટ છે. ‘ગુજરાત ટુ મુંબઈ’ નામ પ્રમાણે ફિલ્મનું શૂટ ગુજરાતના કેટલાક રમણીય સ્થળો અને મુંબઈના જાણીતા સ્થળોએ કરવામાં આવ્યું છે. કાનને ગમે તેવું સંગીત દર્શકોને ડોલાવી રહ્યું છે જે એકવાર તો સાંભળવું જ પડે. ‘ગુજરાત ટુ મુંબઈ’ એક જર્ની ફિલ્મ છે જેમાં શચી જોશીનું પાત્ર ઘરમાં એક ચુલબુલી અને સૌની લાડકી છોકરીનું છે. જે કોલેજ લાઈફ એન્જોય કરી રહી છે જેના પાત્રનું નામ શિખા છે. કોલેજમાં ટે તેના મિત્રો સાથે બહાર ટ્રીપ પર જવાનો પ્લાન બનાવે છે. પરંતુ એવું હોય છે કે તેને ઘરેથી પરમીશન લેવી જરૂરી છે જેના વગર તેને બહાર અજાણ્યા શહેરમાં તેના માતાપિતા મોકલવા નથી ઈચ્છતા. ઘણા યુવકો – યુવતીઓ ઘરે જુઠ્ઠું બોલીને ફરવા જતા રહે છે જયારે શિખા પોતાના માતાપિતા સાથે એકદમ મિત્ર તરીકે અને બધી સાચી જ વાત કરવામાં માને છે. શચી જોશી કહે છે કે આ પાત્ર મારી વાસ્તવિકતા સાથે મળતું આવે છે. એક ખાસ વાત કે આ પહેલા શચી જોશીનું ‘છેલ્લો દિવસ’ ના એક પાત્ર માટે સિલેકશન થઇ ગયેલું પણ શચીને તે સમયે એક્સીડેન્ટ નડો ગયો જેના લીધે તે રોલ ન કરી શકી.  

પ્ર – ઘરે કહ્યા વગર ફરવા જવું આજના યુવાનો માટે કેવું પરિણામ લાવી શકે ?
ઉ – એ પરિણામ જોવા માટે દર્શકોએ ‘ગુજરાત ટુ મુંબઈ’ ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ. તમારી મિત્રો સાથે બહાર જવાની થોડી મજા માટે, થોડીક લાઈફ એન્જોય કરવા માટે ઘરે જુઠ્ઠું બોલ્યા પછી બહાર તમારી સાથે કોઈ અસભ્ય વર્તન કે કોઈ વ્યક્તિ તમારો ગેરલાભ લઇ જાય ત્યારે શું થાય તેનું સચોટ નિરૂપણ આ ફિલ્મમાં કરાયું છે. દુનિયામાં કેવા કેવા લોકો હોય છે તેનું અનુમાન તમને નથી હોતું અને તે સમયે તમારી બુદ્ધિ પણ એટલી ના ચાલે પણ જો ઘરેથી તમે સાચું બોલીને ગયા હો અને સતત ઘરના કે પરિવારના કોન્ટેક્ટમાં રહેતા હો તો તમને કોઈ તકલીફ નથી રહેવાની.
પ્ર – ફિલ્મના નિર્માત્રી, દિગ્દર્શિકા કાલિન્દી દવે સાથે કામ કરવાનો અનુભવ ?
ઉ – જયારે અમદાવાદમાં આ ફિલ્મનું ઓડીશન થયું ત્યારે તેમને મારામાં આ ફિલ્મનું પાત્ર ‘શિખા’ દેખાયું. એક લેડી તરીકે કાલિન્દી દવેએ ડિરેક્ટર તરીકેની જવાબદારી બખૂબી નિભાવી છે અને આખી ફિલ્મ તેમણે સંભાળી છે. ‘ગુજરાત ટુ ‘ ફિલ્મના નિર્માત્રી પણ તેઓ જ છે. તેઓ અમને આખી ટીમને ખૂબ જ સાચવતા હતા અને તેમની પાસે મને નવું જાણવાની અપેક્ષા હતી ટે પૂરી થઇ છે. એક બહેન જેવી રીતે તેઓ મારી સાથે રહેતા હતા અને મને અને સાથે સાથે ફિલ્મના પુરા યુનીટને તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી.
પ્ર – તમે નાટકોમાં પણ સક્રિય છો તો બંને વચ્ચે શું ફરક લાગ્યો ?
ઉ – મને ફિલ્મ કરતા નાટક વધારે કઠીન હોય તેવું લાગ્યું. નાટકમાં એક ટીમવર્ક હોય છે. એક કલાકારની મિસ્ટેકને લીધે તેની આજુબાજુના કલાકારોએ ક્યારેક નાટક સંભાળી લેવું પડે છે. તમારી ભૂલ ઓડીયન્સ તરત પકડી પાડે છે એટલે એકદમ સાવધ રહીને પાત્રમાં રહેવું પડે છે. જયારે ફિલ્મમાં રિટેક આપવા પડે છે પણ તેનાથી તમારી અભિનય પર પણ મુશ્કેલી પડે છે. જો એક કલાકાર એક જ શોટમાં સીન ઓકે કરી આપે તો તાળીઓ અને રિટેક આપવા પડે તો તાળીઓ નહિ. મને બંનેમાં કામ કરવાની મજા આવે છે. અત્યારે પણ મારું નાટક ‘યુગપુરુષ’ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને ઓલ ઇન્ડીયામાં તેના ઘણા શો હું કરી રહી છું.



n  ગજ્જર નીલેશ 
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
અમુક અંશે આ પાત્ર મારી વાસ્તવિક જીંદગી સાથે મળતું આવે છે : આદિત્ય સોની
   
ટૂંક સમયમાં ગુજરાતી એક મસ્ત મજાની ગુજરાતથી મુંબઈની સફર કરાવતી ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ રીલીઝ થશે. જેમાં યંગસ્ટર્સ એક જર્નીનું આયોજન કરે છે જેમાં પાંચ જેટલા લોકો છે. જે મુંબઈ ગયા પહેલા જ ત્યાં જઈને કેટલી અને કેવી મજા કરીશું. તેની વાતો કરતા થાકતા નથી. કાલીન્દીની દવે નિર્મિત દિગ્દર્શિત આ ફિલ્મે ખાસ્સો ઉત્સાહ યંગસ્ટર્સમાં જગાવ્યો છે કે ફિલ્મ ક્યારે રીલીઝ થાય. ફિલ્મમાં આદિત્ય સોની એક શ્રીમંત પિતાના સંતાનનું પાત્ર ભજવી રહ્યો છે. આમ તો આદિત્ય સોનીએ મુંબઈમાં રહીને ઘણી ફિલ્મ્સ અને ટીવી સીરીયલ્સ માટે ઓડીશન્સ આપેલા પરંતુ ત્યાની કામ કરવાની પદ્ધતિ તેમને ફાવી નહિ. આ પહેલા પણ તેઓ એક ગુજરાતી ફિલ્મ કરી ચુક્યા છે અને હવે તેઓ મહત્વના કહી શકાય એવા રોલમાં ‘ગુજરાત ટુ મુંબઈ’ માં જોવા મળશે. ફિલ્મમાં તેના પાત્ર વિશે પુછતા આદિત્યએ જણાવ્યું કે ફિલ્મમાં મારું પાત્ર તન્મય નામના યુવાનનું છે જે ગર્ભશ્રીમંત પરિવારથી આવતો હોય છે. જેને પૈસે ટકે કોઈ તાણ નથી. એકદમ મસ્ત મૌલા ટાઈપ જીવન જીવી રહેલો તન્મય કોલેજ લાઈફ ખૂબ એન્જોય કરતો હોય છે. અમુક ચાર પાંચ મિત્રો સાથે મુંબઈની ટૂર તન્મય જ ગોઠવે છે. મુંબઈ જઈને છાકટા બનતા યુવાનો માટે ફિલ્મના ડિરેક્ટરે સારો સંદેશ આ ફિલ્મથી આપ્યો છે જે તમે ફિલ્મ જોશો ત્યારે જણાશે.
પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક કાલીન્દીની દવે તથા સાથી કલાકારો સાથે કામ કરવાનો અનુભવ જણાવશો.
ઉ – મેં પહેલીવાર એક લેડીને પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાઈટર જોયા એમ કહું તો ચાલે. મુંબઈમાં આમ તો એકતા કપૂર છે પણ અમારા એકતા કપૂર કાલીન્દીની દવે જ છે. એમનો હું ખૂબ આભાર માનીશ કે એમણે મને તન્મયના પાત્ર માટે યોગ્ય સમજ્યો અને મારી અંદર એક એક્ટિંગનો કીડો હતો. જે મેં આ ફિલ્મથી મહેનત કરીને બતાવી આપીશ કે રોલ ગમે તેવો હોય પણ હું ક્યારેય ફિલ્મના નિર્માતા કે ડિરેક્ટરને નિરાશ નહિ કરું. મારા સાથી કલાકારોમાં શુટિંગના પહેલા દિવસથી જ હું અને વંશ ખૂબ સારા મિત્રો બની ગયા. અમારે એકસાથે જ રૂમ શેર કરીને રહ્યા એટલે અમારા સ્વભાવ મળતા આવતા હતા. ત્યારબાદ નીલેશ, પ્રેયસી, શચી જોશી વગેરે સાથે મુલાકાત થઇ. હું નવો હતો આ ગ્રુપમાં પણ કોઈએ મને એવું લાગવા નથી દીધું કે હું એકલો અલગ હોઉં. અમે બધા સાથે જ શુટિંગ ફ્લોર પર જતા અને શુટિંગ પત્યા પછી પણ સાથે બેસીને ફિલ્મ વિશે ચર્ચાઓ કરતા.
પ્ર – રીલ લાઈફમાં અને રીઅલ લાઈફમાં શું સામ્યતા છે ?
ઉ – ફિલ્મના પાત્રમાં હું એક અલગ જ અંદાઝથી પોતાનું જ ધાર્યું કરવાવાળો વ્યક્તિ છું અને રીઅલ લાઈફમાં પણ હું મને જે ગમે છે ટે જ કરવામાં માનું છું. તન્મય દર મહીને ગર્લફ્રેન્ડ બદલતો રહે છે અને છોકરીઓને બહુ ભાવ પણ નથી આપતો. આમાં હું રીઅલ લાઈફમાં પણ કોઈ છોકરીને તરત રીપ્લાય નથી કરતો. એટલે ઘણે અંશે આ પાત્ર મારા વાસ્તવિક જીવન સાથે મળતું આવે છે.
પ્ર – કેવા રોલ કરવા ગમે ?
ઉ – કલાકાર માટે દરેક રોલ એક ચેલેન્જ હોય છે અને હું મારી પહેલી ફિલ્મના પાત્રથી જ નક્કી કરીને ચાલી રહ્યો છું કે આ પાત્રને હું સારામાં સારો ન્યાય આપીને પડદા પર જીવંત કરી શકું. મને કોમેડી રોલ કરવા ગમશે અને સાથે સાથે મારી ઈચ્છા છે કે એક એક્શન ફિલ્મ પણ કરું. કોઈ સારી સ્ટોરી સાથે એવી ફિલ્મ મળે જેમાં તે પાત્રને એક્શનની ભરમાર હોય તો મને તે પાત્ર કરવાનો સૌથી વધુ આનંદ થશે.
    ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ ચાલુ મહિનાની ૨૭ તારીખે થીયેટરોમાં રીલીઝ થઇ રહી છે. ફિલ્મની દિગ્દર્શિકા કાલીન્દીની દવેએ સરસ અને સંદેશાત્મક ફિલ્મ બનાવી છે જેમાં માતાપિતાએ પણ જોવા જેવી ફિલ્મ છે. જો પોતાના દિકરા સાથે તમે અમુક ઉંમર પછી દોસ્ત બનીને રહો અને એની મુશ્કેલીઓ તેઓ તમને મુક્ત મને જણાવી શકે તો અમુક સમસ્યાઓ તો આપોઆપ જ હલ થઇ જાય એમ છે. આ ઉપરાંત પોતાના સંતાનો પ્રત્યે માતાપિતાની પણ ફરજ છે કે તમારું સંતાન જે કંઈ પણ કાર્ય કરી રહ્યું હોય તેની તમને જાણ કરીને જ કરતુ હોય.


n  ગજ્જર નીલેશ 
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
‘ગુજરાત ટુ મુંબઈ’ મજ્જાની સફર કરાવશે કાલીન્દીની દવે

મૂળ તો મરાઠી anઅને હિન્દી ફિલ્મોમાં ફાઈનાન્સ સાથે સંકળાયેલા અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા નિર્માત્રી કાલીન્દીની દવે હવે ગુજરાતી ફિલ્મોના દર્શકોને ‘ગુજરાત ટુ મુંબઈ’ ની સફર કરાવવા આ જ ટાઈટલ સાથે ટૂંક સમયમાં આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ બનાવવાનો વિચાર તેમને હાલના દોરમાં જ આવ્યો. તેઓનું કહેવું છે કે પહેલાના સમયમાં ગુજરાતી ફિલ્મો ચાલતી હતી અને વચ્ચે થોડો ખરાબ સમય આવ્યો જેમાં ગુજરાતી ફિલ્મોનું લેવલ નીચે ગયું. પરંતુ હવે ફરી પાછું ગુજરાતી ઓડીયન્સ ફિલ્મો જોતું થયું છે એટલે મને એક ગુજરાતી તરીકે વિચાર આવ્યો કે મારી માતૃભાષામાં એક સારી મેસેજ આપતી ફિલ્મ બનાવું. મને લખવાનો અને ડિરેક્શનનો શોખ હતો અને મરાઠી ફિલ્મો અગાઉ ડીરેક્ટ કરેલી હોવાથી મેં મારી ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ જાતે જ ડીરેક્ટ અને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો. જો કે ફિલ્મની
કથા પણ મારી જ હતી એટલે મારાથી વધુ સારું ડિરેક્શન કોણ કરી શકે. ફિલ્મનો મુખ્ય મુદ્દો એ છે કે બાળકો પ્રત્યે માતાપિતાએ કેટલી કાળજી રાખવી જોઈએ. માતાપિતા પોતાના બાળકોના અમુક ઉમર બાદ દોસ્ત બનીને રહે અને બાળકોમાં સાચી સમજણ આપવાની જીજ્ઞાસા જગાવે તેવો વ્યવહાર કરવો જોઈએ. જયારે બાળકો માટે એક શીખ છે કે પોતાના માતાપિતા તમને જે કંઈપણ શિખામણ આપતા હોય તે તમારા ભલા માટે જ આપતા હોય છે. એટલે એ સલાહ કે વ્યવહારને નજરઅંદાઝ ન કરો. ‘ગુજરાત ટુ મુંબઈ’ ફિલ્મ ૨૭ ઓક્ટોબરના રોજ રીલીઝ થઇ રહી છે. ગુજરાતના દર્શકોને ઘણા સમય બાદ એક અલગ થીમ પર સફર કરાવતી ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે. જેને જોવાનું ચૂકશો નહિ.

પ્ર – ફિલ્મના ગીતો કેવા છે ?
ઉ – ફિલ્મમાં એક ટો જર્ની સોંગ છે જે પાત્રો ગુજરાત થી મુંબઈ જતા હોય ત્યારે આવે છે જે ગીત ખૂબ જ સુંદર લખાયું છે. જે લોકો સફર કરતા હશે એમને સફર દરમિયાન સાંભળવું ગમે તેવું છે. એક ટાઈટલ સોંગ છે. એક હની સિંગના સોન્ગ્સ ટાઈપનું રેપ સોંગ છે અને એક રોમેન્ટિક સોંગ છે જે પ્રેમીઓએ અચૂક સાંભળવા જેવું છે.
પ્ર – મુંબઈના ક્યા સ્થળો જોવા મળશે ?
ઉ – મુંબઈના જાણીતા સ્થળો જુહુ ચોપાટી, ગેટવે ઓફ ઇન્ડિયા, ઉપરાંત હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર્સ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન વગેરેના બંગલો તથા અન્ય નેસર્ગિક વાતાવરણ ભર્યા સ્થળો જોવા મળશે.

   
ફિલ્મની નિર્માત્રી કાલીન્દીની દવેએ જ પોતાની ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ નું દિગ્દર્શન કર્યું છે. જેના કલાકારોમાં આદિત્ય સોની, નીલેશ અમલાની, વંશ શાહ, પ્રેયસી કોઠારી અને શચી જોશી ગુજરાત ટુ મુંબઈના હમસફર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તફાવત વિશે કાલીન્દીનીએ જણાવ્યું હતું કે, ફરક એ છે કે અત્યારે ગુજરાતી ફિલ્મો ધીમે ધીમે સારી ફિલ્મો બનાવી રહી છે જયારે મરાઠી ફિલ્મોનું સ્તર અત્યારે ઉપર છે. એક વસ્તુ ચોક્કસ કહીશ કે, ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મો માટે જ્યારથી સબસીડી આપવી બંધ કરી છે ત્યારથી ફિલ્મોનું માર્કેટિંગ લગભગ ૫૦ ટકા ઘટી ગયું છે. તેના માટે સરકારે ગુજરાતી ફિલ્મો પ્રત્યે કુણું વલણ રાખવું જોઈએ. અધૂરામાં પૂરું હાલ ઘણા સિંગલ સ્ક્રીન સિનેમા પણ બંધ થઇ રહ્યા છે અથવા પડી રહ્યા છે. તો અમારી જેવા ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મ વ્યવસ્થિત રીલીઝ કેવી રીતે કરી શકશે ?   

n  ગજ્જર નીલેશ

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes