Showing posts with label gujarati mahima. Show all posts
Showing posts with label gujarati mahima. Show all posts
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
મરણપથારીએ છે 'ડોન'ના આ ગુજરાતી ડિરેક્ટર, અમિતાભ બચ્ચન છે અજાણ
'ડોન કો પકડના મુશ્કિલ હી નામુમકિન હૈં...' આ સંવાદ જ્યારે પણ કાને પડે એટલે તરત જ અમિતાભ બચ્ચનની એન્ગી યંગમેનની ઈમેજ આંખ આગળ ઉભી થઈ જાય છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડોનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના ડિરેક્ટર ગુજરાતી એવા ચંદ્ર બારોટ છે. ચંદ્ર બારોટની આ ફિલ્મ અમિતાભની સફળ ફિલ્મ્સમાંની એક હતી. તાજેતરમાં જ ચંદ્ર બારોટ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી.

ફિલ્મ માટે બિગ બીને મળ્યો એવોર્ડઃ
'
ડોન' ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. જોકે, 'ડોન' બાદ ક્યારેય ચંદ્ર બારોટ તથા અમિતાભ બચ્ચને કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અમિતાભના ૭૫માં જન્મદિવસ પર ચંદ્ર બારોટે એક્ટરને શુભકામના પાઠવી છે પરંતુ દુઃખની વાત એ છે કે ચંદ્ર બારોટની તબિયત ઘણી ખરાબ છે.

ચાર-પાંચ વર્ષથી બીમારઃ
ચંદ્ર બારોટે કહ્યું હતું કે તેઓ છેલ્લાં ચાર પાંચ વર્ષથી લંગ સોરાયસિસથી પીડાય છે. આની સારવાર ચાલે છે પરંતુ ડોક્ટર્સે કહ્યું હતું કે આ ગંભીર બીમારી છે.

બોલિવૂડમાં નથી કોઈને ખબરઃ
નવાઈની વાત એ છે કે 'ડોન' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર ચંદ્ર બારોટની પરિસ્થિતિથી બોલિવૂડ સાવ અજાણ છે. ચંદ્રે કહ્યું હતું કે તેની પત્ની તથા પુત્ર અક્ષાન ઘણી જ સારી રીતે સારવાર અને દેખરેખ રાખે છે. તેથી જ તેમણે શા માટે બોલિવૂડમાં આની જાહેરાત કરવી જોઈએ. લોકોને જ્યારે જાણ થશે ત્યારે ફોન કરશે અથવા તો ઘરે આવીને દયા ખાશે. તેમને આવી વાતો પસંદ નથી. આ તેમની લડાઈ છે અને તે એકલા જ લડશે. ચાહકો તરફથી ઘણો જ પ્રેમ તથા સપોર્ટ મળ્યો છે. ભગવાન ઈચ્છશે, ત્યાં સુધી જીવશે.

જયા બચ્ચનને છે ખબરઃ
બોલિવૂડમાં ચંદ્ર બારોટની બીમારી અંગે કોઈને જાણ નથી પરંતુ એક વ્યક્તિ છે, જેને તેમની તબિયત અંગે ખબર છે અને તે છે જયા બચ્ચન. ચંદ્ર બારોટે કહ્યું હતું કે બચ્ચન અને બારોટના સંબંધો પરિવાર જેવા છે. અલબત્ત, અમિત(અમિતાભ) અને તેમણે ક્યારેય 'ડોન' પછી સાથે કામ નથી કર્યું. જોકે, અંગત જીવનમાં તેમના ઘણાં જ સારા સંબંધો છે. ચંદ્ર બારોટે પોતાની બીમારીની વાત જયા બચ્ચને કરી હતી. જયા બચ્ચને જ બ્રિચ કેન્ડી હોસ્પિટલના ડૉ. ઝરીર ઉદવાડિયા પાસે ટ્રિટમેન્ટ લેવાની વાત કરી હતી.

ડૉ. ઝરીરના પિતાએ બિગ બીની કરી હતી સારવારઃ

ડૉ. ઝરીરના પિતા ડૉ. ફારૂક ઉદવાડિયાએ જ બિગ બીની સારવાર કરી હતી. 'કૂલી' સમયે અમિતાભ બચ્ચનને જે ગંભીર અકસ્માત થયો હતો, ત્યારે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. ફારૂક ઉદવાડિયાએ જ બિગ બીની સારવાર કરી હતી.

ઓક્સિજન માસ્ક સાથેઃ
ચંદ્ર બારોટની તબિયત એ હદે ખરાબ છે કે તેઓ ૨૪ કલાક ઓક્સિજન સિલિન્ડર તથા માસ્ક સાથે જ રહે છે. તેમના ફેફસા ઘણાં જ નબળા પડી ગયા છે. ડૉ. ઝરીર ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ છે અને તે સારવાર કરે છે.

દર દિવાળીએ મળે છેઃ
ચંદ્ર બારોટે કહ્યું હતું કે દર દિવાળીએ અમિતાભ બચ્ચન પાર્ટી આપે છે. તે આઠ-દસ મિત્રો સાથે આ પાર્ટીમાં જાય છે. આ વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાના અવસાનના શોકને કારણે દિવાળી પાર્ટી આપવાના નથી.

તાન્ઝાનિયામાં જન્મઃ
ચંદ્ર બારોટનો જન્મ તાન્ઝિયામાં થયો છે અને તે ત્યાંની Barclay બેંકમાં કામ કરતાં હતાં. જોકે, ૧૯૬૭માં તેમણે દેશ છોડવો પડ્યો હતો અને તેમણે લંડનમાં સેટલ થવાનું નક્કી કર્યું હતું. જોકે, લંડનમાં સેટલ થતા પહેલાં તે ભારતમાં રહેતી પોતાની બહેન કમલ બારોટને મળવા આવ્યાં હતાં. કમલ બારોટ બોલિવૂડમાં પ્લેબેક સિંગર હતાં. ભારતમાં આવીને ચંદ્ર બારોટ સંગીતકાર કલ્યાણજી-આનંદજીને મળ્યાં હતાં. તેમણે ચંદ્ર બારોટની મુલાકાત મનોજ કુમાર સાથે કરાવી હતી.


મનોજકુમાર બનાવતાં હતાં 'ઉપકાર':
આ સમયે મનોજકુમાર ફિલ્મ 'ઉપકાર'ને ફાઈનલ ટચ આપતાં હતાં. ફિલ્મમાં રહેલી એક ભૂલની જાણ ચંદ્ર બારોટે મનોજકુમારને કહી હતી. મનોજકુમારને લાગ્યું કે ચંદ્ર સારો ડિરેક્ટર બની શકે છે. તેમણે ચંદ્ર બારોટને પોતાની સાથે કામ કરવાની ઓફર કરી હતી. જોકે, ચંદ્ર બારોટ લંડન સેટલ થવા માંગતાં હતાં અને તે લંડન જતા રહ્યાં. જોકે, લંડનમાં કોઈ મેળ ના પડતાં તેમણે મનોજકુમારને ફોન કર્યો હતો અને પૂછ્યું કે તેમના માટે હવે કોઈ તક છે. તેઓ મનોજ કુમારની સાથે આસિસ્ટન્ટ તરીકે મહિને ૪૫૦ રૂપિયાની નોકરીએ જોડાયા હતાં. મનોજ કુમારની સાથે તેમણે 'પૂરબ ઔર પશ્ચિમ', 'રોટી કપડાં ઔર મકાન' તથા 'શોર' જેવી ફિલ્મ્સ કરી હતી.


આમ થઈ તેજી બચ્ચન સાથે મુલાકાતઃ
'ઉપકાર'ના સોંગ 'મેરે દેશ કી ધરતી..'ને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ લેવા માટે સિંગર મહેન્દ્ર કપૂર તથા ચંદ્ર બારોટ દિલ્હી ગયા હતાં. નેશનલ એવોર્ડની જ્યૂરમાં તેજી બચ્ચન પણ હતાં. તેજી બચ્ચને ચંદ્ર બારોટને કહ્યું હતું કે તેમનો મુન્ના(અમિતાભ બચ્ચન) હવે ફિલ્મ્સમાં આવવાનો છે તો તે તેમનું ધ્યાન રાખે.

'ડોન' પછી એક પણ ફિલ્મ ના બનાવીઃ
ચંદ્ર બારોટે કહ્યું હતું કે 'ડોન' બાદ તેમણે અલગ-અલગ ફિલ્મ્સ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ તેમના નસીબમાં તે નહોતું. તેમણે દિલીપકુમાર તથા સાયરાબાનુ સાથે 'માસ્ટર' ફિલ્મ બનાવી હતી. જોકે, આ જ સમયે દિલીપે 'ક્રાંતિ' તથા 'શક્તિ'માં કેરેક્ટર રોલ કરવાની શરૂઆત કરી હતી. ફાઈનાન્સર્સને એમ લાગ્યું કે હવે દિલીપ કુમાર ઝાડ ફરતે સોંગ્સ ગાય તો એ ચાલે નહીં. તેથી ફિલ્મ બની શકી નહીં. ત્યારબાદ 'તિતલી' ફિલ્મ સારિકા સાથે બનાવી. જોકે, આ સમયે સારિકાએ લગ્ન કરીને ઘર વસાવવાનો નિર્ણય કરી લીધો. તેથી આ ફિલ્મ પણ બની જ નહીં. ત્યારબાદ મલ્ટી સ્ટારર ફિલ્મ 'લોર્ડ ક્રિષ્ના' બનાવવાનું શરૂ કર્યું. અલબત્ત, ફિલ્મના પ્રોડ્યુસર સત્તી સૌરીની દીકરી મોનાએ બોની કપૂર સાથે લગ્ન કરી લેતા સત્તી સૌરીને ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં કોઈ રસ રહ્યો નહીં. ચંદ્ર બારોટે બંગાળી ફિલ્મ બનાવી હતી. ત્યારબાદ વિનોદ ખન્ના, જયપ્રદા તથા ડેની સાથે 'બોસ' બનાવી. તે પૂરી પણ થઈ ગઈ અને ૨૦૦૩માં સેન્સર બોર્ડે પાસ પણ કરી દીધી હતી પરંતુ તે ક્યારેય રીલિઝ થઈ શકી નહીં. હવે, આ ફિલ્મ સેટેલાઈટ ચેનલ્સ પર બતાવવામાં આવે તેવી શક્યતા છે. ૨૦૧૧માં 'હમ બાજા બજા દેંગે'ની શરૂઆત કરી હતી. આ ફિલ્મના પ્રોડ્યુસર અનુપ જલોટા હતાં અને ફિલ્મમાં જેકી શ્રોફ હતો. જોકે, આ ફિલ્મ પણ બની શકી નહીં.


૨૫ લાખમાં બની હતી 'ડોન':
'ડોન' ૨૫ લાખમાં બની હતી. પ્રોડ્યુસર નરીમાન ઈરાનીના મોત બાદ માંડ-માંડ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રમોશન માટે કોઈ જ પૈસા રહ્યાં નહોતાં. જ્યારે ફિલ્મ હિટ રહી ત્યારે નરીમાનની પત્ની સલમા ઈરાનીને પૈસા આપ્યાં હતાં, જેથી તે પતિનું દેવું ભરપાઈ કરી શકે. તે સમયે 'ડોન' માત્ર ૧૨૦ પ્રિન્ટ્સમાં રીલિઝ થઈ હતી. આજે તો ચારથી પાંચ હજાર સ્ક્રિન્સમાં રીલિઝ થાય છે. 



ગુજરાતીની મદદે ગુજરાતી, છ માસથી કોમામાં રહેલા એક્ટરની કરાવે છે ટ્રીટમેન્ટ






૩-૩ પુરૂષો સાથે રહી લિવ ઈનમાં, આલિયાના બાપે તરછોડતા બની'તી પાગલ


ટાઈમ જેવા પ્રતિષ્ઠીત મેગેઝીન પર ચમકનારી પ્રથમ બોલિવૂડ એક્ટ્રેસ અને એક સમયે લાખો લોકોની દિલની ધડકન પરવીન બાબીની આજે બર્થ એનિવર્સરી છે. પરવીનનો જન્મ ચાર એપ્રિલ ૧૯૪૯ના રોજ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. પરવીનના પિતા વલી મહમ્મદ બાબી જુનાગઢ નવાબના કારભારી હતાં. પરવીનની ફિલ્મ્સ કરતા તેની પર્સનલ લાઈફ વધુ ચર્ચામાં રહી છે. ત્રણ-ત્રણ પુરૂષો સાથે રહી લિવ-ઈનમાં,આલિયાના પિતાએ તરછોડતા બની હતી પાગલ

તેના જીવનમાં ઘણા પુરૂષો આવ્યા અને ગયા હતા. જેમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડેનિ ડેન્ગ્ઝોપાનો સમાવેશ થાય છે. જોકે ત્રણ ત્રણ પુરૂષો સાથે પ્રેમ સંબંધો અને ત્રણેય સાથે લિવ-ઈનમાં રહેવા છતાં તે આજીવન અપરિણીત રહી હતી. આ તમામ પુરૂષો એક બાદ એક તેને છોડીને ચાલ્યા ગયા હતા. મહેશ ભટ્ટ મુજબ, તે છેલ્લા દિવોસમાં પાગલ થઈ ગઈ હતી. તેની પાછળનું કારણ પણ મહેશ ભટ્ટ જ હોવાની તે સમયે ગોસિપ ચાલી હતી.



સાત વર્ષે ગુમાવ્યા પિતા
પરવીને સાત વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. શરૂઆતનું શિક્ષણ ઔરંગાબાદમાં મેળવી તે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાઈ હતી.

બી.આર ઈશારાની પડી નજર
કોલેજમાં જ જાણીતા નિર્માતા-નિર્દેશક બી. આર. ઈશારાએ તેને જોઈ અને ફિલ્મ 'ચરિત્ર' (૧૯૭૩) માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે આ ફિલ્મ નિષ્ફળ રહી પણ પરવીનની ગાડી સડસડાટ દોડવા લાગી. ત્યાર બાદ તેણે 'મજબૂર','દીવાર', 'અમર અકબર એન્થોની', 'કાલા પત્થર','શાન','કાલિયા' અને 'ખુદ્દાર' જેવી અનેક સફળ ફિલ્મ્સ આપી.



પરવીનની લાઈફમાં ડેનિની એન્ટ્રી
પરવીન જેટલી ઝડપથી ફિલ્મ જગતમાં સ્થાપિત થઈ, એટલી જ ઝડપે તેમણે એક સાથી પણ શોધી લીધો.તેનું નામ સૌપ્રથમ ડેનિ ડેન્ગ્ઝોપા સાથે જોડવામાં આવ્યું. ફિલ્મ 'ધુએં કી લકીર'થી શરૂ થયેલા આ સંબંધો ટૂંક સમયમાં જ આગળ વધી ગયા હતાં.જોકે આ સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ડેનિ સાથે સંબંધો તૂટતા જ પરવીન ભાંગી પડી.જોકે તેમણે જાતને તૂટવા ન દીધી. આ પ્રથમ પ્રેમભંગને ભુલાવી તે એક્ટર કબીર બેદીની નિકટ આવી.



પસંદ આવવા લાગ્યો કબીરનો સાથ
કબીરનો સ્વભાવ ઘણો બોલ્ડ હતો. તો આ તરફ સિગરેટ અને શરાબ પીનારી પરવીન પણ પાછી પડે એવી ન હતી. આમ બન્નેને એક બીજાનો સાથ પસંદ આવવા લાગ્યો .પરંતુ આ સંબંધો પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ત્યાર બાદ તેની જિંદગીમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટની એન્ટ્રી થઈ.



જ્યારે ચાકુ લઈ ઘરમાં પડી હતી પરવીન
મહેશ ભટ્ટ પરવીનને યાદ કરતા એક ઈન્ટરવ્યુમાં જણાવે છે કે,'જે દિવસે પરવીનનું મોત થયું તે દિવસે એક વાતનો અહેસાસ થયો કે તે મારી યાદોમાં હંમેશા જીવતી રહેશે. પરવીનનું પાગલપણું એક જુની વાત છે. કદાચ કોઈ સમજી શકશે નહીં કે પાગલ વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકાય'. 'આ બધુ શરૂ થતાં પહેલાં જ્યારે મેં પરવીનનું ઘર છોડ્યું ત્યારથી મને યાદ આવે છે. તે પ્રકાશ મહેરાની ફિલ્મના શૂટિંગ માટે નીકળી અને હું પણ મહેબૂબ સ્ટૂડીયો જવાનો હતો.હું યાદ કરુ છું ફિઝામાં કેટલી ઉદાસી હતી. તેનો મેકઅપ ખરાબ ન થાય તે માટે તે મને સંભાળીને ચૂમી હતી. મને જરાપણ ખબર ન હતી કે, જે પરવીનને હું જાણું છું તેને છેલ્લીવાર જોઈ રહ્યો છું. તેની હ્રદયવિદાર સ્થિતિને કઈ રીતે ભુલી શકું. જ્યારે હું તેના ઘરમાં પ્રવેશ્યો ત્યારે સાંજ પડી રહી હતી. તે પોતાની ફિલ્મ ગીતના પરિધાનમાં હાથમાં ચાકુ લઈ પડી હતી.



પહેલીવાર થયો માનસિક હુમલો
તે ભયથી કાંપી રહી હતી. તે સમયે તે એક પશુ જેવી લાગી રહી હતી અને મેં તેને આ રૂપમાં ક્યારેય જોઈ ન હતી.તેણે મને કહ્યું હતું કે 'મહેશ તે મને મારવા આવી રહ્યાં છે, જલ્દી થી દરવાજો બંધ કરી દે'.તેના શબ્દો સાથે જ પ્રેમના દીપ્ત દિવસોનો અંત આવી ગયો.હું તેની પાગલ આંખોમાં મૃત્યુના ચહેરાને જોઈ રહ્યો હતો. પરવીન મારી સામે જ ટુકડાઓ માં વિભક્ત થવા લાગી હતી અને હું તેના પર પડેલા માનસિક હુમલાને જોઈ લાચાર હતો. તેની બીમારી આનુવાંશિક હતી અને તે ઠીક થવાની સંભાવના લગભગ શૂન્ય હતી'.'પરંતુ અમને કંઈ કહેવામાં આવતુ ન હતું, કદાચ એમ કરવાથી તેની રોજગારી જોખમમાં મુકાઈ શકે તેમ હતી'



ધકેલાઈ ગુમનામીમાં
એક ચર્ચા મુજબ પરવીન બાબી અને મહેશ ભટ્ટના સંબંધોની નિષ્ફળતા જ પરવીનના મોતનું કારણ છે. બન્ને વચ્ચે લગભગ ૧૯૭૭થી ૧૯૮૦ સુધી સંબંધો રહ્યાં. પરવીન સ્કિઝોફ્રેનિયાનો ભોગ બનતા મહેશે તેની સાથેનો છેડો ફાડી નાંખ્યો. ત્યાર બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ છોડી દીધી હતી અને ગુમનામી ના અંધકારમાં ધકેલાઈ ગઈ હતી.તે અમેરિકા ચાલી ગઈ અને ધર્મનું શરણુ લીધુ. પરંતુ વર્ષો બાદ તે અચાનક મુંબઈ પરત ફરી અને અમિતાભ બચ્ચન પર આરોપોનો વરસાદ કર્યો.



આમ એકલી જ નીકળી ગઈ અનંત યાત્રાએ
અંતે ૨૦ જાન્યુઆરી ૨૦૦૫ના દિવસે પરવીન બાબીના જુહુના ઘરના પાડોશીઓને શંકા જતાં હાઉસિંગ સોસાયટીના સેક્રેટરીને જાણ કરી હતી અને પછી પોલીસે ડુપ્લિકેટ ચાવી દ્વારા દરવાજો ખોલતાં ઘરની અંદર પરવીન બાબીની લાશ મળી હતી. તપાસના અંતે પોલીસને તેના મૃત્યુ પાછળ કોઈ કાવતરું રચાયું હોય તેવું નહોતું જણાયું, પણ પરવીન બાબીનું મૃત્યુ એક કારમી ઘટના હતી.પરવીન ડાયાબિટીસથી પીડાતી હતી,પરંતુ તેનાથી ગંભીર હતો તેનો સ્કિઝોફ્રેનિયા કે માનસિક રોગ. સંબંધોની તેની દુનિયા અત્યંત ઝંઝાવાતી અને અસ્થિર રહી હતી. તેને એકલવાયાપણું સતત સતાવતું હતું. આમ તે એક દિવસ સૌ કોઈને છોડી એકલી જ અનંત યાત્રાએ નીકળી ગઈ.


 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes